2030 સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનનો પ્રવાસ પૂરો થઈ જશે

પૃથ્વીથી લગભગ 400 કિલોમીટર ઉપર છેલ્લા 25 વર્ષથી માનવતાની સૌથી મોટી અવકાશ પ્રયોગશાળા તરીકે કામ કરી રહેલું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. નાસાએ 2028 થી શરૂ કરીને 2030 સુધીમાં તેને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાડી દેવાની તેની યોજનાને સાર્વજનિક કરી છે. આ માટે નાસાએ 1 અબજ ડોલર (લગભગ 9500 કરોડ રૂપિયા) નો પ્લાન તૈયાર કર્યો છે.

ISS તેની નિર્ધારિત ઉંમર પૂરી કરી ચૂક્યું છે. તેનો કાર્યકાળ ઘણી વખત લંબાવવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેમાં સતત તકનીકી ખામીઓ આવી રહી છે. સ્ટેશનને સુરક્ષિત રાખવા માટે અબજો ડોલરનો ખર્ચ થાય છે. નાસા હવે તેના સંસાધનોને ચંદ્ર અને મંગળ મિશન પર કેન્દ્રિત કરવા માંગે છે. તેથી ISS ને સન્માનજનક અને સુરક્ષિત રીતે નિવૃત્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લગભગ 4.5 લાખ કિલોગ્રામ વજનના ISS ને આમ જ પૃથ્વી તરફ પડવા દેવામાં આવશે નહીં. 2028 ની આસપાસ સ્ટેશનને કક્ષામાં જાળવી રાખવાની પ્રક્રિયા ધીમે ધીમે બંધ કરી દેવામાં આવશે. ખાસ અવકાશયાન દ્વારા તેને નિયંત્રિત રીતે પૃથ્વીના વાતાવરણમાં ધકેલવામાં આવશે. વાતાવરણમાં પ્રવેશતા જ સ્ટેશનનો મોટાભાગનો હિસ્સો ઘર્ષણથી બળીને નષ્ટ થઈ જશે.

જોકે, આ પછી પણ સ્પેસના મોટા ટુકડા પૃથ્વી પર વસ્તીવાળા વિસ્તારોમાં પડી શકે છે. તેથી નાસાએ પ્રશાંત મહાસાગરના એક દૂરના વિસ્તારને પસંદ કર્યો છે જેથી વાતાવરણમાં બળી ગયા પછી બાકી રહેલો કાટમાળ આ જ નિર્જન દરિયાઈ વિસ્તારમાં પડે.

નાસા અનુસાર, ISS ને દક્ષિણ પ્રશાંત મહાસાગરના ક્ષેત્રમાં ક્રેશ કરવામાં આવશે. આ જગ્યાનું નામ પોઈન્ટ નીમો છે. આ જગ્યા વૈશ્વિક સ્તરે ખાસ કરીને જૂના અવકાશ સ્ટેશનો, સેટેલાઇટ અને અન્ય કચરાનો નિકાલ કરવા માટે પસંદ કરવામાં આવી છે.

પોઈન્ટ નીમોની આસપાસ કોઈપણ જહાજના જવા પર પ્રતિબંધ છે. અહીં મનુષ્યોના રહેવા માટે કોઈ જગ્યા નથી. વર્ષ 1971 થી અત્યાર સુધીમાં લગભગ 300 પ્રકારના અવકાશી કચરાને અહીં ફેંકવામાં આવ્યો છે. જેમાં મોટાભાગનો અમેરિકી અને રશિયન કચરો સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *