બાબા બાગેશ્વરમાં ઈશ્વરીય શક્તિ, AI દુઃખ દૂર ન કરી શકે!

રાજકોટમાં હાલ એક તરફ બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા ચાલી રહી છે ત્યારે બીજી તરફ શહેરના પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે ટાઇપ વન ડાયાબિટીસના બાળકો માટેના કેમ્પ દરમિયાન આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ બાબામાં ઈશ્વરીય શક્તિ હોવાનું કહ્યું છે. આ સાથે જ કહ્યું કે,AI દુઃખ દૂર નથી કરી શકવાનું પરંતુ, ધીરેન્દ્ર શાસ્ત્રી જેવા ઈશ્વરીય કામ કરી લોકોના દુઃખ દર્દ સમજી દૂર કરે છે તો તેમાં ખોટું શું છે.

રાજકોટમાં બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા મુદ્દે આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદજી સરસ્વતીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, બાબા પાસે ઈશ્વરીય શક્તિ છે. બાબાને સભાનતા છે કે આ મારી પાસે જે છે એ મારું નથી. તેમની પાસે જે લક્ષ્મી આવે છે તેનો પણ સદુપયોગ કરે છે. બાબા પાસે એવી કોઈ પ્રેરણા હશે જે બીજાના દુઃખ સમજી શકે છે. ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા મામલે પરમાત્માનંદ સ્વામીએ કહ્યું, રામ મંદિર બનાવવું પણ સહેલું ન હતું, આપણું બંધારણ સેક્યુલર છે.

રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે બંધારણીય અડચણો નડતી હોઈ છે. બાબા સનાતનનું જ કામ કરે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણ મુદ્દે સ્વામીજીએ જણાવ્યું હતું કે, ધર્માંતરણ ન થવું જોઈએ. હેતુ માત્ર ધર્માંતરણનો જ નથી, રાષ્ટ્રપ્રાંતરણનો પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *