સરકારે ખાંડની નિકાસ પરનો પ્રતિબંધ લંબાવ્યો

દેશમાં તહેવારોની સીઝન દરમિયાન સ્થાનિક માર્કેટમાં ખાંડની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સરકારે 31 ઑક્ટોબર બાદ પણ આગામી આદેશ સુધી ખાંડની નિકાસ પરના પ્રતિબંધને લંબાવ્યો છે.

અગાઉ, સરકારે ચાલુ વર્ષના 31 ઑક્ટોબર સુધી આ પ્રતિબંધ લાગૂ કર્યો હતો. ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે નિકાસ પર આગામી આદેશ સુધી રોક લગાવવામાં આવી છે.

જો કે CXL અને TRQ ડ્યૂટી કન્સેશન ક્વોટા હેઠળ ઇયુ અને યુએસ ખાતેની ખાંડની નિકાસ પર આ પ્રતિબંધ લાગૂ નહીં થાય તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. ચોક્કસ માત્રામાં ખાંડની આ દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *