ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટનું 6 કરોડના ખર્ચે રિનોવેશન

રાજકોટની શાન ગણાતી અને ધર્મેન્દ્ર રોડ પર આવેલી અંદાજે 100 વર્ષ જૂની ઐતિહાસિક સર લાખાજીરાજ શાક માર્કેટ હવે નવા અવતારમાં જોવા મળશે. છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં રહેલી આ માર્કેટના રિનોવેશન માટે રાજકોટ મહાપાલિકા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

હેરિટેજ લુક જાળવી રાખવા રેટ્રો ફિટિંગ પદ્ધતિનો ઉપયોગ આ ઐતિહાસિક માર્કેટનો હેરિટેજ લુક જાળવી રાખવા રેટ્રો ફિટિંગ પદ્ધતિનો ઉપયોગ થશે. આ માટે મનપા દ્વારા જીએસટી સહિત રૂ. 6 કરોડથી વધુ રકમનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ત્યારબાદ આ મંજુર થયેલું ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવશે અને સ્ટેન્ડિંગ દ્વારા મંજૂરીની મહોર લાગ્યા બાદ અંદાજે 18 મહિનામાં લોકોને પોતાની જૂની અને જાણીતી આ માર્કેટ નવા રંગરૂપમાં જોવા મળશે.

પ્રાપ્ત વિગત મુજબ, આ કામગીરી માટે અંદાજે રૂ. 5.63 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જેના ઉપર GST એડ થતા આ ઐતિહાસિક માર્કેટનાં રીનોવેશનનો ખર્ચ રૂ. 6 કરોડથી વધુ થવાની ધારણા છે. આ હેરિટેજ માર્કેટ હોવાથી તેને તોડી પાડવાને બદલે તેના મૂળ સ્થાપત્યને સાચવીને તેનું આધુનિકીકરણ કરવામાં આવશે. મહત્વનું છે કે, લાખાજીરાજ માર્કેટ રાજાશાહી સમયની હોય તેનું ઐતિહાસિક મહત્વ ખૂબ જ વધારે છે, જેના કારણે તેના રિનોવેશનમાં વિશેષ કાળજી રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *