કોન્ફિડન્ટ ગ્રુપના ચેરમેન સીજે રોયે શુક્રવારે સેન્ટ્રલ બેંગલુરુમાં રિચમંડ સર્કલ પાસે કંપનીની ઓફિસમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બપોરે લગભગ 3.15 વાગ્યે બની હતી. તેમણે પુષ્ટિ કરી કે છેલ્લા ત્રણ દિવસથી ઇનકમ ટેક્સ (IT) વિભાગની તપાસ ચાલી રહી હતી. આત્મહત્યા બાદ આવકવેરા અધિકારીઓ ઘટનાસ્થળેથી રવાના થઈ ગયા.
રોયની નેટવર્થ 9 હજાર કરોડ રૂપિયા છે. મૂળભૂત રીતે કેરળના રહેવાસી રોયનો કારોબાર કર્ણાટક અને દુબઈમાં ફેલાયેલો હતો. કોન્ફિડન્ટ ગ્રુપ કેરળ અને કર્ણાટકનો રિયલ એસ્ટેટ ડેવલપર છે.
પોલીસે જણાવ્યું કે હાલમાં, ઘટનાસ્થળે કોઈ IT અધિકારી હાજર નહોતા. બેંગલુરુ પોલીસ તપાસના ભાગરૂપે IT વિભાગ પાસેથી જરૂરી માહિતી લેશે.
કમિશનરે વધુમાં જણાવ્યું કે સી.જે. રોયના પરિવારના સભ્યો હાલ વિદેશમાં છે અને બેંગલુરુ આવી રહ્યા છે.