કુંતીએ વરદાન સ્વરૂપે શ્રી કૃષ્ણ પાસે દુ:ખ માગ્યું હતું

મહાભારતનું યુદ્ધ પૂરું થયું હતું. કૌરવ સેનાનો નાશ થયો અને યુધિષ્ઠિર રાજા બન્યા હતા. જ્યારે પાંડવોના જીવનમાં બધું બરાબર ચાલ્યું, ત્યારે શ્રી કૃષ્ણએ વિચાર્યું કે હવે તેમને દ્વારકા જવું જોઈએ.

શ્રી કૃષ્ણએ પાંડવોને તેમની ઇચ્છા જણાવી હતી, તેઓ બધા ભગવાનને રોકવા માગતા હતા, પરંતુ તેઓ રોકાયા નહીં. જ્યારે શ્રી કૃષ્ણ રથ પર બેસીને આગળ વધ્યા ત્યારે કુંતી તેમની સામે ઉભા હતા. કુંતી શ્રી કૃષ્ણના ફોઈ હતા.

જ્યારે શ્રી કૃષ્ણ પોતાના ફોઈને જોઈને રથમાંથી નીચે ઉતર્યા ત્યારે કુંતીએ તેમને વંદન કર્યા. આ જોઈ શ્રી કૃષ્ણએ કહ્યું કે તમે મારી માની જેમ મારા ફોઈ છો. હું તમને વંદન કરું છું, પણ તમે આજે મને કેમ વંદન કરો છો?

કુંતીએ કહ્યું કે કૃષ્ણ, તમે મારા ભત્રીજા છો, પણ હું એ પણ જાણું છું કે તમે ભગવાન પણ છો. મને તમારા ભક્ત થવા દો.

શ્રી કૃષ્ણએ કહ્યું કે તે ઠીક છે. દરેક વ્યક્તિ ભગવાન પાસે કંઈક ને કંઈક માગે છે, તમે પણ મારી પાસેથી જે કંઈ વરદાન માગો તે માગી શકો છો.

કુંતીએ કહ્યું, મને વરદાન રૂપે દુ:ખ આપો.

વરદાનમાં દુ:ખની વાત સાંભળીને શ્રી કૃષ્ણે પૂછ્યું કે તમને દુ:ખ શા માટે જોઈએ છે? તમારું આખું જીવન દુ:ખમાં વીત્યું છે.

કુંતીએ કહ્યું કે હું તમને દુ:ખમાં ખૂબ જ યાદ કરું છું, મારા જીવનમાં દુ:ખ હશે તો હું તમારી પૂજા કરતી રહીશ. સુખી દિવસોમાં મન ભક્તિમાં વ્યસ્ત રહેતું નથી. હું દરેક ક્ષણે તમારું ધ્યાન કરવા માગુ છું, તેથી જ હું દુ:ખ માગું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *