બાંગ્લાદેશે ભારતીયો માટે વિઝા સેવા સસ્પેન્ડ કરી, શેખ હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો; ઘરમાં ઘૂસીને ગોળી મારી

બાંગ્લાદેશ હાઈ કમિશને ભારતમાં સુરક્ષા કારણોનો હવાલો આપતા પોતાની તમામ વિઝા અને કાઉન્સેલર સેવાઓને કામચલાઉ ધોરણે બંધ કરી દીધી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સ્થગિતતા આગામી આદેશ સુધી લાગુ રહેશે. આ પહેલા અગરતલામાં બાંગ્લાદેશ કોન્સ્યુલેટ પણ વિઝા સર્વિસ પર રોક લગાવી ચૂક્યું છે.

રવિવારે ભારતે સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચટગાંવ સ્થિત પોતાના આસિસ્ટન્ટ હાઈ કમિશનમાં વિઝા સર્વિસીસ બંધ કરી દીધી હતી. આ નિર્ણય ભારત વિરોધી પ્રદર્શનો બાદ લેવામાં આવ્યો હતો.

શેખ હસીનાના વિરોધી વધુ એક નેતા પર હુમલો બાંગ્લાદેશમાં શેખ હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો થયો છે. બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખુલનામાં સોમવારે બપોરે 12 વાગ્યે નેશનલ સિટિઝન્સ પાર્ટી (NCP)ના નેતા મોહમ્મદ મોતાલેબ શિકદરને ઘરમાં ઘૂસીને ગોળી મારવામાં આવી.

રિપોર્ટ્સ અનુસાર, હુમલાખોરોએ સીધા મોહમ્મદના માથાને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું. ગોળી વાગતાં જ તેઓ ગંભીર રીતે ઘાયલ થઈને પડી ગયા. આસપાસ હાજર લોકોએ તરત જ તેમને ઉઠાવીને ખુલના મેડિકલ કોલેજ હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *