લોકસભામાં ‘VB-જી રામ જી’ બિલ પર ચર્ચા

બુધવારે સાંજે 5:40 વાગ્યે લોકસભામાં “વિકસિત ભારત- રોજગાર અને આજીવિકાની ગેરંટી મિશન (ગ્રામીણ) (VB-જી રામ જી) બિલ, 2025” પર ચર્ચા શરૂ થઈ.

કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ચર્ચા પછી વિપક્ષને તેમનો પ્રતિભાવ સાંભળવા વિનંતી કરી. તેમણે જણાવ્યું કે આ બિલ ગ્રામીણ રોજગારમાં વાર્ષિક 100 દિવસથી 125 દિવસનો વધારો કરવાની ગેરંટી આપે છે. આ બિલ ગામડાઓને ગરીબી મુક્ત બનાવશે.

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે ગૃહ આ બિલો પર લાંબી ચર્ચા કરશે, અને જો જરૂરી હોય તો કાર્યવાહી રાત સુધી ચાલુ રહેશે.

અગાઉ, લોકસભાએ “સસ્ટેનેબલ હાર્નેસિંગ ઓફ એટોમિક એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (શાંતિ) બિલ” પસાર કર્યું.

કોંગ્રેસના સાંસદોએ કોંગ્રેસ સંસદીય પક્ષ (CPP) કાર્યાલયમાં બેઠક યોજી અને તેના સાંસદોને વ્હીપ જારી કર્યો. આ પછી, કોંગ્રેસના સાંસદોએ “VB-જી રામ જી” બિલ સામે સંસદની બહાર વિરોધ કર્યો.

ટ્રેનમાં સામાન લઈ જવા માટે લિમિટ નક્કી કરાઈ ભારતીય રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે સામાનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં માહિતી આપતા જણાવ્યું હતું કે, હવે નિર્ધારિત મર્યાદા કરતા વધુ સામાન લઈ જનારા મુસાફરો પાસેથી રેલવે દ્વારા વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. મુસાફરોની સુવિધા અને ટ્રેનમાં ભીડને નિયંત્રિત કરવા માટે અલગ-અલગ કોચ મુજબ સામાનની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

ક્લાસ(કોચ) મુજબ સામાનની મર્યાદા અને નિયમો રેલવેના નવા નિયમો મુજબ, એસી ફર્સ્ટ ક્લાસમાં મુસાફરો 70 કિલો સુધીનો સામાન મફત લઈ જઈ શકશે, જ્યારે તેની મહત્તમ મર્યાદા 150 કિલો રાખવામાં આવી છે. એસી સેકન્ડ ટિયરમાં 50 કિલો અને એસી થર્ડ ટિયર કે ચેર કારમાં 40 કિલો સુધીનો સામાન મફત લઈ જવાની છૂટ મળશે. સામાન્ય મુસાફરો જે સ્લીપર ક્લાસમાં મુસાફરી કરે છે તેઓ 40 કિલો અને સેકન્ડ ક્લાસમાં 35 કિલો સુધીનો સામાન કોઈ પણ ચાર્જ વગર સાથે રાખી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *