27 ઓગસ્ટના રોજ બિહારના દરભંગામાં રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રા દરમિયાન પીએમ મોદીની માતાને અપશબ્દો કહેવામાં આવ્યા હતા. આ ઘટનાના સાતમા દિવસે મંગળવારે પીએમ મોદી આગળ આવ્યા અને દુર્વ્યવહારનો જવાબ આપ્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- બિહારમાં કોંગ્રેસના મંચ પરથી મારી માતાને અપશબ્દો કરવામાં આવ્યા. આ દુર્વ્યવહાર ફક્ત મારી માતાનું અપમાન નથી, તે દેશની માતા, બહેન, પુત્રીનું અપમાન છે.
આ કહેતા પીએમ ભાવુક થઈ ગયા. તેમને ભાવુક જોઈને બિહાર ભાજપ પ્રમુખ દિલીપ જયસ્વાલની પણ આંખોમાં આંસુ આવી ગયા. મોદીના શબ્દો સાંભળીને બિહાર રાજ્ય જીવિકા નિધિ શાખા સહકારી સંઘ લિમિટેડના કાર્યક્રમમાં આવેલી મહિલાઓ પણ રડવા લાગી.
પીએમ મોદી આ કાર્યક્રમ સાથે વર્ચ્યુઅલી જોડાયેલા હતા. કાર્યક્રમમાં પીએમએ આ સંસ્થાના બેંક ખાતામાં 105 કરોડ રૂપિયાની રકમ પણ ટ્રાન્સફર કરી.