મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તેમણે ગૃહમાં બોલવાનું શરૂ કર્યું, ત્યારે વિપક્ષે હોબાળો મચાવ્યો અને પીએમ મોદીને બોલાવવાની માગ કરી.

આના પર શાહે કહ્યું- વિપક્ષ પૂછી રહ્યું છે કે પીએમ ક્યાં છે? પીએમ હાલમાં ઓફિસમાં છે, તેમને વધુ સાંભળવામાં રસ નથી. હું સંભાળી રહ્યો છું, તો તેમને શું કામ બોલાવો છો.

આના પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- વડાપ્રધાન દિલ્હીમાં હોવા છતાં તેઓ અહીં નથી આવી રહ્યા, આ ગૃહનું અપમાન છે. ગૃહના સભ્યોનું અપમાન કરવું યોગ્ય નથી. આ પછી, વિપક્ષ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું.

શાહે રાત્રે 8:25 વાગ્યા સુધી ભાષણ આપ્યું. આ દરમિયાન તેમણે કહ્યું- પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા થયેલા નુકસાનના જવાબમાં ભારત સરકાર અને સેનાએ ઓપરેશન સિંદૂર સાથે જોરદાર જવાબ આપ્યો. ઓપરેશન મહાદેવમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા.

શાહના ભાષણ પછી, રાજ્યસભાની કાર્યવાહી ગુરુવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આ સાથે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર બે દિવસીય ચર્ચા પણ સમાપ્ત થઈ ગઈ. શાહ પહેલા, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે 2014 પહેલા, દરેક જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થતા હતા, પરંતુ UPA સરકાર પાકિસ્તાનીઓને મીઠાઈ ખવડાવતી રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *