મંગળવારે રાત્રે મેક્સિકોના ગુઆનાજુઆટો રાજ્યમાં ભીષણ ગોળીબાર થયો હતો. આ હુમલામાં 12 લોકો માર્યા ગયા હતા, જ્યારે લગભગ 20 લોકો ઘાયલ થયા હતા.
તે સમયે ઇરાપુઆટો શહેરમાં સેન્ટ જોન ધ બાપ્ટિસ્ટના તહેવાર નિમિત્તે લોકો શેરીઓમાં નાચતા, ગાતા અને ઉજવણી કરી રહ્યા હતા. આ માહિતી બુધવારે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી હતી.
ઇરાપુઆટોના અધિકારી રોડોલ્ફો ગોમેઝ સર્વાન્ટેસે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મેક્સિકોમાં મૃત્યુઆંક વધીને 12 થઈ ગયો છે અને ઘણા ઘાયલોની હાલત ગંભીર છે.
રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબામે હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેની તપાસ કરવામાં આવી રહી છે.