ધોરાજીના સંજયનગર સહિતના વિસ્તારોમાં ચોમાસું જામે તે પહેલાં જ રબડીરાજનું સામ્રાજ્ય

ધોરાજી ધોરાજીનાં જમનાવડ રોડ પર આવેલા સંજય નગર સહિતનાં વિસ્તારોમાં ચોમાસું સિઝનમાં રસ્તાઓને પહેલાં મરામત કરવાને બદલે જેમના તેમ રહેવા દેવાતાં ખાડાની ભરમારના લીધે બિસ્માર હાલતમાં હોઇ કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે. જે સમસ્યા હલ કરવા લોક ફરીયાદો ઉઠવા પામી છે. ધોરાજીનાં જમનાવડ રોડ સંજય નગર વિસ્તારમાં રહેતા મહેશભાઇ પારવાણી સહિતના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ધોરાજીનાં જમનાવડ રોડ સંજય નગરનાં રોડ રસ્તાની હાલત ઘણાં સમયથી ખરાબ છે. આ બિસ્માર રોડ રસ્તાની સમસ્યાઓ હલ કરવા અવારનવાર સ્થાનિક તંત્ર વાહકોને રજૂઆત કરવા છતાં નક્કર કામગીરી કરાઈ નથી. અમારે ચોમાસામાં સંજયનગરના રહેવાસીઓને ચાલવું પણ મુશ્કેલ પડે છે, અને ગાડી પણ અમારી અમારા ઘર સુધી ચાલી નથી શકતી અને સ્કૂલના વાહન પણ ઘર સુધી પહોંચી શકતા નથી.

હાલ ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ પડતા રસ્તાની હાલત એટલી ખરાબ થઇ ગઇ છે કે, અમે અમારા ઘર સુધી ચાલીને પણ જઈ શકતા નથી, જાય તો પણ કાદવ કિચડમાં લપસી જવાય છે આ બિસ્માર બનેલા રોડ રસ્તાની સમસ્યા હલ કરવા રજૂઆતો કરવા છતાં તંત્ર વાહકો દ્વારા બિસ્માર રસ્તાની સમસ્યાઓ હલ કરવા નક્કર કાર્યવાહી નહીં કરાતાં સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે, આ મામલે ધારાસભ્ય મહેન્દ્રભાઇ પાડલિયા ધ્યાન આપે તેવી માગણી ઉઠવા પામી છે. આવા રસ્તા પર ચાલીને પસાર થવું એ કસોટી પાર કરવા સમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *