પહેલગામ હુમલોઃ સરકારે સુરક્ષામાં ખામી સ્વીકારી

પહેલગામ હુમલાના ત્રણ દિવસ પછી, કેન્દ્ર સરકારે સ્વીકાર્યું કે પહેલગામ હુમલામાં સુરક્ષામાં ખામી હતી. ગુરુવારે સાંજે સર્વપક્ષીય બેઠક બાદ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે આઈબી અને ગૃહ મંત્રાલયના અધિકારીઓએ વિપક્ષી નેતાઓને બેઠકમાં સુરક્ષામાં ખામી અંગે માહિતી આપી હતી.

ગુરુવારે રાત્રે, ભારત સરકારના જળ સંસાધન મંત્રાલયના સચિવ દેવાશીષ મુખર્જીએ પાકિસ્તાનને એક પત્ર મોકલીને કહ્યું કે 1960ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. તે જ સમયે, આજે ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને સિંધુ જળ સંધિ પર એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. તેમાં જળશક્તિ મંત્રી સીઆર પાટિલ સહિત ઘણા કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે.

રાહુલ આજે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. તેઓ પહેલગામ આતંકવાદી હુમલાના ઘાયલોને મળવા માટે અનંતનાગ હોસ્પિટલ પહોંચશે. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પણ આજે શ્રીનગર પહોંચશે. બૈસરન ખીણ પણ જશે. હુમલાને ધ્યાનમાં રાખીને સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે.

સ્થાનિક લશ્કરી રચનાઓના ટોચના કમાન્ડરો જનરલ દ્વિવેદીને બ્રીફ કરશે. ઉપરાંત, તેઓ કાશ્મીર અને નિયંત્રણ રેખા (LoC) માં ચાલી રહેલી આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપશે. 22 એપ્રિલના રોજ બપોરે પહેલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તેમાં એક નેપાળી નાગરિકનો પણ સમાવેશ થતો હતો. 10થી વધુ લોકો ઘાયલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *