રાજકોટ મનપાનાં ફાયર વિભાગ દ્વારા વૈકલ્પિક ધોરણે અધિકારીઓનાં નંબરો જાહેર કરવામાં આવ્યા

રાજકોટ મનપાનાં ફાયર વિભાગના ઇમરજન્સી નંબરો આજે રાત્રે બંધ રાખવામાં આવનાર છે. અમુક ટેકનિકલ કારણોને પગલે આજે(25 માર્ચે) રાત્રીના 9 વાગ્યાથી મોડીરાત્રે 2 વાગ્યા સુધી 101 સહિતનાં તમામ ઇમરજન્સી નંબરો બંધ રહેશે. જેને લઈને મનપાના ફાયર વિભાગે વૈકલ્પિક ધોરણે ફાયર સ્ટેશન મુજબ અધિકારીઓનાં નંબરો હાલ જાહેર કર્યા છે. લોકોને રાત્રે 9થી 2 વાગ્યા સુધી તમામ ફાયર સ્ટેશન મુજબ અધિકારીઓનો સંપર્ક કરવા માટે જણાવાયું છે.

ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર સંજય મકવાણાએ જણાવ્યું હતું કે આજે રાત્રે 9 વાગ્યાથી મોડીરાત્રે 2 વાગ્યા સુધી બીએસએનએલ દ્વારા મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવનાર છે. જેને લઈને આ સમય દરમિયાન ફાયરના 101 અને 102 સહિતનાં તમામ ઇમરજન્સી નંબરો બંધ રાખવામાં આવનાર છે. નંબરો બંધ થવાથી લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેના માટે ફાયર વિભાગ દ્વારા જે-તે ફાયર સ્ટેશન મુજબ અધિકારીઓનાં નંબરો જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે રાત્રે 9થી 2 વાગ્યા સુધી ઇમરજન્સી માટે આ નંબરો પર સંપર્ક કરવાની અપીલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *