રાજકોટ સહિત રાજ્યભરમાં હાલમાં ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીની સપાટી વટાવી ગયો છે અને કાળઝાળ ગરમી શરૂ થઇ ગઇ છે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વકીલોની રજૂઆતોને પગલે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવતા હાઇકોર્ટ દ્વારા તા.1 એપ્રિલથી 31 જુલાઇ સુધી અદાલતની કાર્યવાહીમાં વકીલો કાળા કોટની જગ્યાએ માત્ર ટાઇ પહેરીની ભાગ લઇ શકશે તેવું નોટિફિકેશન બહાર પાડી વકીલોને ચાર માસ સુધી કોટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
ઉનાળાના સમયમાં એપ્રિલથી જુલાઇ માસ સુધી કાળઝાળ ગરમી પડતી હોય ત્યારે વકીલોને કાળો કોટ પહેરવાથી વધુ ગરમી સહન કરવી પડતી હોવાની ફરિયાદો ઉઠી હતી. હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી કરવામાં આવેલી રજૂઆતોને લક્ષમાં લઇ હાઇકોર્ટ તરફથી તા.18-3-2009ના રોજ ભારતીય બંધારણ અનુચ્છેદ 235 તથા ક્રિમિનલ મેન્યુઅલ 197 અનુસાર એક ખાસ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ હતું અને ઉનાળાના સમય દરમિયાન દર વર્ષે તા.1 લી એપ્રિલથી 31મી જુલાઇ સુધી ધારાશાસ્ત્રીઓને કાળો કોટ પહેરવામાંથી મુક્તિ અપાઈ છે.