ભારતે કહ્યું- કોને વિઝા આપવા, કોને નહીં એ અમારો અધિકાર

વિદેશ મંત્રાલયે શુક્રવારે કેનેડિયન મીડિયા પર ભારતને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કેનેડિયન મીડિયાના અહેવાલોને ફગાવી દીધા છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે કેટલાક કેનેડિયન નાગરિકોને વિઝા આપ્યા નથી.

હકીકતમાં, તાજેતરમાં કેનેડિયન મીડિયામાં આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ભારત વિઝા નીતિનો દુરુપયોગ કરીને કેનેડાના મામલામાં દખલ કરી રહ્યું છે. ખાલિસ્તાની એજન્ડાને સમર્થન આપવાને કારણે ભારતે ઘણા કેનેડિયન નાગરિકોને વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો.

તેના પર ભારતે કેનેડિયન મીડિયા પર ખોટી માહિતી દ્વારા દેશના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. જયસ્વાલે કહ્યું કે, અમે કેનેડાના મામલામાં દખલ નથી કરી રહ્યા, પરંતુ તેઓ અમારી બાબતોમાં દખલ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *