ઈમરાન ખાનને 9 મેની હિંસામાં દોષિત ઠેરવ્યા

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનને શનિવારે લાહોરની આતંકવાદ વિરોધી અદાલત (ATC) દ્વારા 9 મે, 2023ના રોજ થયેલી હિંસાના આરોપમાં દોષિત ઠેરવ્યા છે. કોર્ટે 8 કેસમાં ઈમરાન ખાનના જામીન પણ રદ કર્યા છે.

ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ જજ મંઝર અલી ગિલે પોતાના લેખિત ચુકાદામાં કહ્યું કે ઈમરાન ખાન વિરુદ્ધ હિંસા સંબંધિત ઓડિયો અને વીડિયો પુરાવા રજૂ કર્યા છે. તે તેમને દોષિત સાબિત કરવા માટે પૂરતું છે.

કોર્ટે પોતાના નિર્ણયમાં ઈમરાન વિરુદ્ધ આપવામાં આવેલી જુબાનીનો પણ ઉલ્લેખ કર્યો છે. આમાં જમાન પાર્કમાં ઈમરાન ખાનના સમર્થકોને ઉશ્કેરવાનું ષડયંત્ર રચવાનો આરોપ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *