બાંગ્લાદેશમાં ઇસ્કોનના 54 સભ્યોને ભારત આવતાં અટકાવ્યા

બાંગ્લાદેશ ઇમિગ્રેશન પોલીસે માન્ય પાસપોર્ટ અને વિઝા સાથે ભારત જતા ઇસ્કોનના 54 સભ્યોને સરહદ પર અટકાવી દીધા. આ લોકો એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારત જઈ રહ્યા હતા. આ અંગે ઈમિગ્રેશન પોલીસનું કહેવું છે કે તેમની પાસે માન્ય પાસપોર્ટ અને વિઝા હોવા છતાં તેમની પાસે સરકારની ખાસ પરવાનગી નહોતી.

બેનાપોલ ઈમિગ્રેશન પોલીસના એક અધિકારીએ ડેઈલી સ્ટાર અખબારને જણાવ્યું – અમે પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ સાથે વાત કરી. જ્યાંથી અમને ઇસ્કોનના સભ્યોને સરહદ પાર ન કરવા દેવાની સૂચના મળી. દેશના વિવિધ જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓનો સમૂહ ભારત જવા માટે બેનાપોલ બોર્ડર પર પહોંચ્યો હતો. તેઓ બેનાપોલ ખાતે સરહદ પાર કરવા માટે કલાકો સુધી રાહ જોતા હતા, પરંતુ બાદમાં તેમને કહેવામાં આવ્યું હતું કે તેમની પાસે આમ કરવાની પરવાનગી નથી.

ઈસ્કોનના સભ્ય સૌરભ તપંદર ચેલીએ કહ્યું- અમે ભારતમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા, પરંતુ ઈમિગ્રેશન અધિકારીઓએ સરકારની પરવાનગી ન હોવાનું કારણ આપીને અમને અટકાવી દીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *