શ્રીલંકાએ કહ્યું- ભારતે અમને હિંસાથી બચાવ્યા

શ્રીલંકાની સંસદના સ્પીકર મહિન્દા યાપા અભયવર્ધનાએ ભારત પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું- ભારત એક ભરોસાપાત્ર મિત્ર છે અને તેણે ગયા વર્ષે આર્થિક સંકટ દરમિયાન અમારુ રક્ષણ કર્યું હતું. જો ભારત ન હોત તો કદાચ ફરી એકવાર દેશમાં હિંસાનું વાતાવરણ સર્જાયું હોત. શ્રીલંકાના સ્પીકરે આ વાત બે દિવસ પહેલા ઈન્ડિયન ટ્રાવેલ કોંગ્રેસના ડેલિગેશન માટે ગાલા ડિનર દરમિયાન કહી હતી.

અભયવર્દનાએ કહ્યું- શ્રીલંકા અને ભારત વચ્ચે ગાઢ મિત્રતા છે. ભારત હંમેશા અમારો સૌથી વિશ્વાસુ ભાગીદાર રહ્યો છે. સંસ્કૃતિ, રાષ્ટ્રીય, સામાજિક અને નીતિના સંદર્ભમાં બંને દેશો વચ્ચે ઘણી સમાનતા છે. મેં સાંભળ્યું છે કે ભારત અમારી લોનને 12 વર્ષ સુધી લંબાવવા (રિસ્ટ્રક્ચર) કરવા તૈયાર છે. અમે ક્યારેય આની અપેક્ષા રાખી ન હતી અને આજ સુધી કોઈ દેશે અમને આટલી મદદ કરી નથી.

સ્પીકરે કહ્યું- મદદ માટે ભારત અને PM મોદીનો આભાર
આ પછી મીડિયા સાથે વાત કરતા સંસદ સ્પીકરે કહ્યું- શ્રીલંકામાં હાજર ભારતીય રાજદૂત ગોપાલ બાગલે અમારા ખાસ મિત્ર છે. અમે તેને ખૂબ જ પ્રેમ અને સન્માન કરીએ છીએ. ભારત હંમેશા અમારી મદદ માટે આગળ આવ્યું છે. ગયા વર્ષે, આર્થિક સંકટ સમયે, ભારતે અમને આર્થિક મદદ કરી, જેના કારણે 6 મહિના સુધી દેશ ચલાવવાનું અમારા માટે સરળ બન્યું. આ માટે અમે ભારત અને પીએમ મોદીના આભારી છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *