પાકિસ્તાનના PM શાહબાઝ શરીફને મળ્યા જયશંકર

15 ઓક્ટોબરે પાકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટનો પ્રથમ દિવસ છે. વિદેશ મંત્રી એસ જયશંકર આજે ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. પીએમ શાહબાઝ શરીફે SCO નેતાઓ માટે ડિનરનું આયોજન કર્યું હતું.

અહીં પીએમ શાહબાઝ અને જયશંકરની મુલાકાત થઈ હતી. પાકિસ્તાની પીએમ આગળ આવ્યા અને બંનેએ હાથ મિલાવ્યા. છેલ્લા કેટલાક સમયથી બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ તે સામે આવ્યું નથી. જયશંકર લગભગ 9 વર્ષ બાદ પાકિસ્તાનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય નેતા છે.

હકીકતમાં પાકિસ્તાને ઑગસ્ટમાં વડાપ્રધાન મોદીને SCO માટે આમંત્રણ મોકલ્યું હતું, પરંતુ બંને દેશ વચ્ચેના ખરાબ સંબંધોને કારણે વિદેશમંત્રી એસ. જયશંકર આ બેઠકમાં ભાગ લેશે.

જયશંકર ત્યાં લગભગ 24 કલાક વિતાવશે. વિદેશમંત્રી પાકિસ્તાન જતાં પહેલાં જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ત્યાં જવાનો હેતુ માત્ર SCO બેઠક માટે છે, બંને દેશના સંબંધો પર કોઈ ચર્ચા થશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *