જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનનું પડ સખત થતું જાય છે, તેથી વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી. ભૂગર્ભ જળ ઘટતું જાય છે. આવા સમયે આ બધી જ સમસ્યાઓનો ઉકેલ પ્રાકૃતિક ખેતી દ્વારા આવી શકે છે ત્યારે કલાકારો પોતાની કલાના માધ્યમથી અન્ય વિષયોની સાથે પ્રાકૃતિક ખેતીનો પણ સમાવેશ કરી વધુમાં વધુ જન સમૂહ સુધી પહોંચાડે તો લોક કલ્યાણનું આ અત્યંત મહત્વપૂર્ણ બાબત કાર્ય ખૂબ ઝડપથી થઈ શકે તેમ પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું. આ સાથે રાજ્યભરના સૌથી વધુ કલાકારોને તેમણે શાલ વડે સન્માનિત કર્યા હતા. જેમાં રાજકોટમાંથી સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના મંત્રી મનીષભાઈ પારેખ, રાજકોટ અધ્યક્ષ ડૉક્ટર જુલીબેન અનડકટ તથા મહામંત્રી શિવભાઈ ત્રિવેદીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં. ઉપરાંત સન્માનિતોને રાજભવન પરિસરના વિવિધ વિભાગોની મુલાકાત લેવડાવી હતી. કોટડાસાંગાણીના સત્તાપર ગામે વ્યાજબી ભાવની દુકાને રૂ.1.43 લાખનો જથ્થો સ્થગિત કરાયો.