હત્યાના ગુનામાં આરોપીઓની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરવામાં આવી

ગત તારીખ 27.08.2023ના રોજ કોઠારીયા રોડ ઉપર આવેલ ન્યુ સાગર સોસાયટી પાસે હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં ફરિયાદી અયાનભાઈ અબ્દુલભાઈ આદમાણીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ કે તેઓની બહેનની સગાઈ બાબતે આરોપીઓ દ્વારા લાકડાના ધોકાઓ વડે હુમલો કરી તેમના ભાઈ મોહસીન અબ્દુલભાઈ આદમાણીને માથામાં ધોકાઓ મારી હત્યા નીપજાવી દીધી. તે ગુનામાં પોલીસે કુલ 5 આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરી અને ગુનાને લગતો પૂરતો પુરાવો મળી આવતા નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ ચાર્જશીટ થયા બાદ આરોપી મકબુલ સુલેમાનભાઈ ગુંગા અને હાજીભાઈ સોમાભાઈ દોઢીયાએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફથી સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે, આરોપીઓએ સામાન્ય બાબતમાં હત્યા નિપજાવી દીધા છે. આવા જનૂની આરોપીઓને જામીન આપવા જોઈએ નહી. જો તેઓને જામીન આપવામાં આવશે તો તેઓને કાયદાનો કોઈ ડર રહેશે નહીં અને ફરી આવા ગુનાઓ કરશે તેમજ મરણ જનારનું લોહી આરોપીઓના કપડા ઉપર આવેલ હોય તેથી, પણ તેની સામે પૂરતો પુરાવો હોય આ બનાવ ને નજરે જોનાર સાક્ષીઓ પણ હોય તેથી જામીન અરજી રદ કરવા રજૂઆત કરી હતી તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ એમ.જે.બ્રહ્મભટ્ટએ આરોપીઓની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *