રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી આજે એકાએક રજા પર જતા કલેકટર કચેરી ખાતે આયોજિત લેન્ડગ્રેબિંગ અને રેવન્યુ અધિકારીઓની બેઠક મોકૂફ રાખી દેવામાં આવી હતી. અહીં એ ઉલ્લેખનીય છે કે લેન્ડગ્રેબિંગની બેઠક આ સતત ત્રીજી વખત મોકુફ રહેવા પામી છે. અગાઉ અતિવૃષ્ટિના સમયે પણ લેન્ડગ્રેબિંગની બેઠક મુલત્વી રાખવાની ફરજ પડી હતી. આજની આ બેઠકમાં 65 કેસ સુનાવણી માટે મૂકવામાં આવેલ છે. પરંતુ બેઠક મુલત્વી રહેતા હવે આગામી બેઠકમાં આ કેસોની સુનાવણી કરવામાં આવશે લેન્ડગ્રેબિંગની રેવન્યુ અધિકારીઓ (આર.ઓ)ની બેઠક પણ મોકૂફ રાખવામાં આવી હતી.