રાજ્યની 550 ITIમાં હજુ 54326 બેઠક ખાલી, 30મી સુધી પ્રવેશ મળશે

રાજ્યભરમાં આવેલી 550 આઈટીઆઈની ચાલુ વર્ષ દરમ્યાન હાથ ધરાયેલી પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 54326 બેઠકો ખાલી રહી છે. જેમાં અમદાવાદની 3892 જેટલી બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકો પર વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. 31મી ઓગસ્ટ સુધી ચાલનારી આ પ્રવેશ પ્રક્રિયામી મુદત 30મી સપ્ટેમ્બર સુધીમાં લંબાવવામાં આવી છે. પ્રવેશ માટે રસ ધરાવતા ઉમેદવારોએ નજીકની ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં આઈટીઆઈ આવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *