શિવાજીની પ્રતિમા પડી જતાં શિંદે-ફડણવીસ-પવારે માફી માગી

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે (29 ઓગસ્ટ) સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની 8 મહિના જૂની પ્રતિમાના પતન પર માફી માંગી. આ સાથે તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં એક મોટી પ્રતિમા બનાવવામાં આવશે.

આ પહેલા ડેપ્યુટી સીએમ અજિત પવારે પણ મહારાષ્ટ્રની જનતાની માફી માગી હતી. અજિત પવારની એનસીપીએ રાજ્યમાં મૌન વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે અજિતે કહ્યું કે, જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *