સોસાયટીના પ્રમુખે મેન્ટેનન્સના 1.77 કરોડ બારોબાર શેરબજારમાં રોકી દઇ નાણાં ગુમાવી છેતરપિંડી આચરી

કાંગશિયાળીમાં આવેલી સ્થાપત્ય ગ્રીનસિટી નામની સોસાયટીના પ્રમુખે સોસાયટીના મેન્ટેનન્સના રૂ.1.77 કરોડ બારોબાર શેરબજારમાં રોકી તમામ નાણાં ગુમાવી છેતરપિંડી આચરી હતી. આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી હતી.

સ્થાપત્ય ગ્રીનસિટીમાં રહેતા અને રાજકોટમાં ઉમિયા ચોકમાં હાર્ડવેરની દુકાન ધરાવતાં કેતનભાઇ રામજીભાઇ પટેલે (ઉ.વ.38) શાપર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સ્થાપત્ય ગ્રીનસિટીના પ્રમુખ અને રાજકોટમાં બાલાજી હોલ પાસે આવેલી ધોળકિયા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં જીજ્ઞેશ ધનજી વઘાસિયાનું નામ આપ્યું હતું. કેતનભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સ્થાપત્ય ગ્રીનસિટીમાં એથી એફ સુધીની 6 બિલ્ડિંગ છે. દરેક વિંગમાં 28 ફ્લેટ છે અને સોસાયટીમાં કુલ 168 ફ્લેટ આવેલા છે. તમામ ફ્લેટધારકો પાસેથી બિલ્ડરોએ સોસાયટીની લાઇટ, પાણી, સફાઇ સહિતના કામોના મેન્ટેનન્સ માટે ફ્લેટ વેચતી વખતે જ ફ્લેટની કેટેગરી મુજબ અલગ અલગ રકમ ઉઘરાવી હતી અને તે મુજબ કુલ રૂ.1.77 કરોડ એકઠા થયા હતા અને તે રકમ સોસાયટીના નામે એક બેંક ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *