PI-જમાદારને સંડોવતા કેસમાં ACPની ઢીલી તપાસ

શહેરની ભાગોળે નવાગામમાં આવેલા ગોડાઉનમાં 17 વર્ષના સગીરને મોબાઇલનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બે મહિના સુધી છુપાવી રાખનાર કુવાડવા પીઆઇ રાઠોડે ફરિયાદ પણ જૂઠાણું ચલાવ્યું હતું. પીઆઇ રાઠોડ અને જમાદાર નિમાવત સામે આકરા પગલાં તોળાઇ રહ્યા છે.

શહેરના સંત કબીર રોડ પરના ગોકુલનગરમાં રહેતા હર્ષિલ કમલેશભાઇ ગોરી (ઉ.વ.17)ને 1 મેની રાત્રીના નવાગામમાં આવેલા નારણજી પેરાજ ટ્રાન્સપોર્ટના ગોડાઉને હતો અને ત્યાંથી તેને ગોડાઉનના સાથી કર્મચારીઓ રાત્રીના સિવિલ હોસ્પિટલે લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પાણી પીતી વખતે હાર્ટએટેક આવી જવાથી હર્ષિલનું મૃત્યુ થયાનું તેને હોસ્પિટલે લઇ જનારાઓએ રટણ રટ્યું હતું અને કુવાડવા પોલીસની ટીમે પણ તત્કાલીન સમયે તે વાત માની લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *