ધાર્મિક સ્થળનાં દબાણો દૂર નહીં થાય

રાજકોટ શહેરમાં તાજેતરમાં ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત વિવિધ વિસ્તારમાં આવેલા 2000 કરતા વધુ દબાણોને નોટિસ પણ તાજેતરમાં આપવામાં આવી હતી. મનપા દ્વારા આ પૈકી બે નાની દેરીઓ પણ તોડી પાડવામાં આવી હતી. જો કે, હાલપૂરતી આ કામગીરીને બ્રેક મરાઈ છે. આ માટે ટાઉન પ્લાનિંગ શાખાનો સ્ટાફ અન્ય કામગીરીમાં વ્યસ્ત હોવાનું કારણ અપાયું છે. જોકે, અંદરખાને રાજકીય હસ્તક્ષેપને કારણે કામગીરી સ્થગિત કર્યાની ચર્ચા ઊઠી રહી છે.

પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ શહેરમાં નાના-મોટા 2000 કરતા વધુ ધાર્મિક દબાણો છે. જેમાં મોટાભાગે શેરી, ગલી અને ટી.પી.ના પ્લોટમાં બની ગયેલી દેરીઓ અને નાના ઓટાઓ સામેલ છે. ટી.પી. શાખા દ્વારા સર્વે કરીને આ વિગતો એકઠી કરાઈ હતી, જેનો રિપોર્ટ કરાયો હતો. આ રિપોર્ટમાં ત્રણે ઝોન પૈકી ઈસ્ટ ઝોનમાં સૌથી વધુ 1000 જેટલા ધાર્મિક સ્થળના દબાણ હોવાનું જયારે સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનમાં 500-500 કરતા વધુ દબાણો હોવાનું સામે આવ્યું હતું. આ તમામ દૂર કરવા માટે કાર્યવાહી કરવાની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *