રાજકોટમાં પત્ની પર અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં કોઠારીયા રોડ નજીક સૂર્યોદય શેરી નં-4 ખાતે રહેતી 39 વર્ષીય પરિણીતા હંસાબેન ડાંગરે એસિડ ગટગટાવી લેતા સારવાર માટે ખસેડવામાં આવી છે. આ અંગેની જાણ થતાં ભક્તિનગર પોલીસ દોડી ગઈ હતી. દરમિયાન પરિણીતાએ જણાવ્યું કે, તેણીના પતિ પરબત ડાંગરને છેલ્લા ત્રણ વર્ષથી પર સ્ત્રી સાથે સંબંધ હોવાથી અવારનવાર બોલાચાલી ઝગડો કરતા હતા. એટલું જ નહીં, વારંવાર મેણાટોણા મારી શારીરીક માનસિક ત્રાસ આપતા હોવાથી કંટાળીને પોતે ગત 5 જુલાઈએ એસિડ પીધું હતું. હાલ પોલીસે શારીરિક-માનસિક ત્રાસ આપી ગુન્હો કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.