ધોરાજી પાસેથી પસાર થતી સફુરા નદીમાંથી શુક્રવારે એક વૃધ્ધની લાશ મળી આવતાં પોલીસે ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. વૃધ્ધ પગ લપસી જતાં નદીમાં ખાબક્યા હતા અને તરતા ન આવડતું હોઇ મોત નીપજ્યું છે.
ધોરાજીની સફૂરા નદીમાં એક વૃધ્ધનો મૃતદેહ પડ્યો હોવાની પોલીસને જાણ થતાં કાફલો દોડી ગયો હતો અને તરવૈયાઓની મદદથી લાશ બહાર કાઢવામાં આવી હતી અને તેમની ઓળખ બહારપૂરામાં રહેતાં કાસમભાઈ નાથાભાઈ ઉ.વ. 52 તરીકે થઇ હતી. વૃધ્ધ નદી કિનારે બેઠા હોવા કે પસાર થઇ રહ્યા હશે ત્યારે પગ લપસતાં નદીમાં પડી જતાં મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.