પાકિસ્તાનના મુદ્દાઓ પર મૌન, કેજરીવાલ કેસમાં ભારતની ટીકા

ગુરુવારે અમેરિકાને પૂછવામાં આવ્યું કે તે અરવિંદ કેજરીવાલના મામલામાં નિવેદન આપે છે, પરંતુ જ્યારે વિપક્ષ પાકિસ્તાનની જેલમાં બંધ હોય ત્યારે તે કેમ કંઈ બોલતું નથી? તેના જવાબમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે બંને દેશો પ્રત્યેના અમારા વલણમાં કોઈ ફરક નથી.

પ્રેસ બ્રીફિંગ દરમિયાન મિલરે કહ્યું, “અમે એવું માનતા નથી. અમે પાકિસ્તાનમાં દરેક વ્યક્તિ સાથે કાયદા અનુસાર વ્યવહાર જોવા માંગીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે ત્યાં પણ માનવ અધિકારોનું રક્ષણ થાય.”

હકીકતમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન લાંબા સમયથી જેલમાં છે. અમેરિકા તેમના વિશે મૌન છે. તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે અમેરિકાએ કહ્યું કે તે ન્યાયી, પારદર્શક અને સમયસર કાયદાકીય પ્રક્રિયાની માગ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *