નેપાળ-તિબેટ બોર્ડર પર પૂરથી 160 મોત, 844 લાપતા

નેપાળ-તિબેટ બોર્ડર પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરમાં 160 લોકોના મોત થઈ ગયા. નેપાળમાં 157 અને તિબેટમાં 3 લોકોના જીવ ગયા, જ્યારે 844 લોકો હજુ પણ લાપતા છે. પૂરમાં 19 પુલ, લગભગ 40 કિલોમીટર રસ્તા અને 13 હાઈડ્રોપાવર પ્રોજેક્ટ તબાહ થઈ ગયા. પૂરના પાણી લગભગ 30 ફૂટ સુધી ઉપર આવી ગયા હતા. ઝડપી બહાવમાં ઘરો, ગાડીઓ અને સરકારી માળખાં તણાઈ ગયાં. શરૂઆતમાં માનવામાં આવી રહ્યું હતું કે પૂર પહેલાં ભૂકંપ આવ્યો હતો, પરંતુ અમેરિકી જીઓલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર ચીન તરફ લ્હેંદે નદીમાં પહાડનો મોટો ભાગ ખસીને પડ્યો હતો. આ જ લેન્ડસ્લાઈડથી 5.2 ની તીવ્રતાના ભૂકંપ જેવો આંચકો અનુભવાયો હતો. આ પછી લ્હેંદે નદીમાંથી પાણી અને કાદવનો સૈલાબ ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં પહોંચ્યો, જેનાથી પૂર આવ્યું. વહેણ એટલું ઝડપી હતું કે લોકોને અને કાટમાળને લગભગ 150 કિલોમીટર દૂર ચિતવન સુધી વહાવીને લઈ ગયો, જ્યાં અત્યાર સુધી 33 મૃતદેહ મળી આવ્યા છે. રાહતકર્મીઓ ખરાબ હવામાન અને તૂટેલા રસ્તાઓ વચ્ચે કાટમાળમાં દબાયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે. કૈલાશ માનસરોવર યાત્રા પર જઈ રહેલા ઘણા શ્રદ્ધાળુઓ પણ પૂરની ચપેટમાં આવી ગયા. નેપાળમાં લાપતા લોકોમાં 466 વિદેશી અને 113 નેપાળી સામેલ છે, જેમાં 133 ભારતીય અને 37 NRI પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *