ધોરાજી શહેરની કેવો શાહ કોલેજ ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન અને બચાવ અંગે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન NDRFની ટીમે વિદ્યાર્થીઓને કુદરતી તેમજ અન્ય આપત્તિજનક પરિસ્થિતિઓમાં સાવચેતી રાખવા, પોતાની અને અન્ય લોકોની સુરક્ષા કરવા તેમજ આપત્તિના સમયે પ્રાથમિક બચાવ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ ઉપરાંત, વિવિધ બચાવ પદ્ધતિઓનું પ્રાયોગિક નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
આ માર્ગદર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજીના મામલતદાર, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ, કોલેજના આચાર્ય, શિક્ષકો તેમજ અન્ય સ્થાનિક આગેવાનો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
કાર્યક્રમના સમાપન સમયે NDRFની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને આપત્તિ સમયે ગભરાયા વિના યોગ્ય સમજદારી અને તાલીમના આધારે કાર્ય કરવા અપીલ કરવામાં આવી હતી.