ગણતરી કરનારા ખિસ્સા અને બૂટમાં નોટોની થપ્પીઓ છુપાવતા દેખાયા, અનિલ મિશ્રા બેદરકાર રહ્યા- SIT રિપોર્ટ

અયોધ્યાના રામમંદિરના દાનની ચોરીના કેસમાં ટ્રસ્ટની બેઠક અને ચંપત રાય-અનિલ મિશ્રાના રાજીનામા પછી સોમવારે રાત્રે લગભગ 9 વાગ્યે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નો પ્રાથમિક અહેવાલ પણ સામે આવ્યો.

આ રિપોર્ટ મુજબ 27 એપ્રિલથી 5 જૂન વચ્ચે CCTVમાં લગભગ 70 શંકાસ્પદ ઘટનાઓ કેદ થઈ. ફૂટેજમાં પોલીસની પકડમાં આવેલા 8 આરોપીઓ નોટોની થપ્પીઓ ખિસ્સા અને જૂતામાં છુપાવતા જોવા મળ્યા.

SITએ ડૉ. અનિલ મિશ્રા પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે. SITએ કહ્યું કે અગાઉથી બનાવેલી તલાશીની સિસ્ટમમાં રહેલી ખામીઓ માટે અનિલ મિશ્રા જ જવાબદાર છે.

ચંપત રાયનો ડ્રાઈવર ટિન્નુ કોઈ પણ આદેશ વિના ગણતરીવાળા રૂમની ચાવી પોતાની પાસે રાખતો હતો. એટલું જ નહીં તેણે ભલામણ કરીને પોતાના ભત્રીજા મનીષ યાદવને દાનની ગણતરીના કામમાં લગાવ્યો હતો.

ગણતરીની આખી પ્રક્રિયા જ ખામીઓથી ભરેલી મળી. ડૉ. અનિલ મિશ્રા નાણાકીય બાબતો અને રોકડ સંગ્રહ વ્યવસ્થાપનની દેખરેખ રાખી રહ્યા હતા. બેંક સાથે નક્કી કરાયેલા SOP અને સહમતિ બિંદુઓ તૈયાર કરવામાં પણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *