રાજકોટમાં રમતા જોવા મળશે સેહવાગ-દ્રવિડની જોડી!

પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીરને પહેલીવાર ભારતની અંડર-19 ટીમમાં પસંદ કર્યો છે. તેને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ત્રણ વન-ડે મેચની સિરીઝ માટે ટીમમાં સ્થાન મળ્યું છે.

ત્રણેય મેચ સપ્ટેમ્બરમાં રાજકોટમાં રમાશે. આર્યવીર રાઇટ-હેન્ડેડ બેટર છે અને હાલમાં દિલ્હી પ્રીમિયર લીગમાં વેસ્ટ દિલ્હી લાયન્સ તરફથી રમી રહ્યો છે.

આર્યવીરની સાથે રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડને પણ વન-ડે ટીમમાં સામેલ કર્યો છે. અન્વય વિકેટકીપર-બેટર છે અને શ્રીલંકા પ્રવાસ પર ભારતની U-19 ટીમ માટે 87 રનની ઇનિંગ રમી ચૂક્યો છે. જોકે, આર્યવીર અને અન્વય બંનેને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી બે મલ્ટી-ડે મેચની ટીમમાં સ્થાન મળ્યું નથી.

આર્યવીર સેહવાગે તાજેતરમાં દિલ્હી પ્રીમિયર લીગની 2026 સીઝનમાં વેસ્ટ દિલ્હી લાયન્સ માટે રમ્યો છે. તે આ પહેલા 2024માં કૂચ બિહાર ટ્રોફીમાં મોટી ઇનિંગ રમીને ચર્ચામાં આવ્યો હતો. તેણે મેઘાલય સામે 297 રન બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *