રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ ‘પ્રહાર: ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’ ટૂંક સમયમાં રિલીઝ થશે. તેની તૈયારી અને રાજકુમારની મેથડ એક્ટિંગને લઈને ખુદ વરિષ્ઠ અધિવક્તા અને પૂર્વ પબ્લિક પ્રોસિક્યુટર નિકમે ખાસ વાતો શેર કરી.
ઉજ્જવલ નિકમ જણાવે છે કે, ‘રાજકુમાર રાવે પરંપરાગત રિસર્ચની જેમ સતત પ્રશ્નો પૂછ્યા નહીં. તેઓ લાંબા સમય સુધી સામે બેસીને ફક્ત એ જોતા હતા કે, હું કેવી રીતે બેસું છું, ફાઇલ કેવી રીતે પકડું છું અને કોર્ટમાં દલીલ કરતી વખતે હાથનો ઉપયોગ કેવી રીતે કરું છું. રાજકુમારે મારી નકલ ન કરી, પરંતુ આખી બોડી લેંગ્વેજને આત્મસાત કરી. તેમણે મને પ્રશ્નો ઓછા પૂછ્યા, પરંતુ મારી દરેક સૂક્ષ્મ ઝિણવટોને સારી રીતે પકડી.’
સંવાદો ગોખવા કરતાં વધુ વ્યક્તિત્વ સમજવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું
નિકમના મતે, ‘રાજકુમારની રુચિ સંવાદો યાદ કરવા કરતાં તે વ્યક્તિત્વને સમજવામાં વધુ હતી, જેને તેમને પડદા પર જીવવાનું હતું. તે વાસ્તવિક જીવનમાં અંતર્મુખી છે, પરંતુ પાત્રની તૈયારીના સંદર્ભમાં કરવામાં આવતી દરેક વસ્તુને મનમાં નોંધતા જાય છે. ખાસ વાત એ છે કે, તે બિનજરૂરી વાતચીતમાં સમય બગાડતા નથી. આ જ તેમની તૈયારીની સૌથી મોટી તાકાત છે.’
નિકમનું કહેવું છે કે, ‘અદાલતમાં કોઈ વકીલની ઓળખ ફક્ત કાનૂની જ્ઞાનથી જ નહીં, પરંતુ પ્રસ્તુતિથી પણ બને છે. વોઇસ ક્યારે ઊંચો હશે, ક્યારે ધીમો હશે અને કઈ દલીલ પર કેટલો વિરામ લેવો. આ ઝિણવટો પર રાજકુમારે ખાસ કરીને વિશેષ મહેનત કરી. તેમણે ફક્ત સંવાદો યાદ ન કર્યા, પરંતુ તે લયને પકડવાનો પ્રયાસ કર્યો, જેમાં હું અદાલતમાં દલીલો રજૂ કરું છું.’