આણંદની દીકરીની કેનેડામાં ચાકુ મારી હત્યા

વિદેશમાં રહેતા ભારતીયો પર હુમલાની ઘટનાઓ વચ્ચે હવે ગુજરાતની વધુ એક દીકરીની હત્યાના સમાચાર સામે આવ્યા છે. આણંદ જિલ્લાના બોરસદની રહેવાસી 22 વર્ષીય વિધિ મેઘાની કેનેડામાં ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છે. વિધિ છેલ્લા ચાર વર્ષથી કેનેડાના નિયાગ્રા વિસ્તારમાં રહેતી હતી. તે ત્યાં લો (કાયદા)નો અભ્યાસ કરી રહી હતી અને અભ્યાસની સાથે-સાથે નોકરી પણ કરતી હતી. આ સિવાય તે કેનેડામાં કાયમી વસવાટ એટલે કે પીઆર (PR)ની તૈયારી પણ કરી રહી હતી.

માહિતી મુજબ, 15 મેના રોજ વિધિ ઘરની બહાર નીકળી હતી. આ દરમિયાન તેના પર હુમલો થયો હતો. હુમલાખોરે ધોળાદિવસે તેના પર ચાકુથી હુમલો કર્યો હતો. પૈસાની બાબતમાં હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો એટલો ખતરનાક હતો કે વિધિ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી.

ઘટના બાદ સ્થાનિક લોકોએ તરત જ તેને હોસ્પિટલ પહોંચાડી હતી, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. આ દર્દનાક ઘટનાના સમાચાર સામે આવતા જ બોરસદ અને આસપાસના વિસ્તારમાં લોકો સ્તબ્ધ થઈ ગયા. સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આ મામલામાં એક આરોપીની ધરપકડ પણ કરી લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી હત્યા પાછળનું અસલી કારણ સામે આવી શક્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *