મરચાં- મસાલાયુક્ત ખોરાક બીમારીને રોકવા – આયુષ્યને લંબાવવામાં મદદરૂપ

મરચાં-મસાલાવાળા ખોરાક પ્રત્યે દરેક વ્યક્તિની સહનશીલતા અલગ-અલગ હોય છે. હાર્વર્ડ અને ચાઇના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અભ્યાસ અનુસાર અઠવાડિયામાં એકવાર મસાલેદાર ખોરાક લેવાથી લોકોમાં મૃત્યુદર 14% ઘટ્યો. સંશોધનમાં જાણવા મળ્યું છે કે તજ, લસણ, આદું અને જીરું જેવા મસાલા સાથે મરચું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે. મરચાં મસાલાવાળો ખોરાક ખાદ્યજન્ય બીમારીઓને નિયંત્રિત કરવા મદદ કરે છે.

જીરું અને હળદરના એન્ટિઑકિસડન્ટો અને એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો શરીરમાં ઉત્પન્ન થતાં હાનિકારક બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. ભારતમાં આયુર્વેદિક ચિકિત્સામાં આદું અને લસણના બળતરા વિરોધી ગુણોનો ઉપયોગ સદીઓથી સંધિવા, ઓટોઇમ્યુન વિકૃતિઓ, માથાનો દુખાવો અને ઉબકા જેવી ઘણી સ્થિતિઓની સારવાર માટે કરાતો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *