અમેરિકા ભારતને 25% પેનલ્ટી ટેરિફ પાછો આપશે

અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલમાં ભારતને મોટી રાહત મળી છે. અમેરિકી પ્રશાસને માત્ર ટેરિફ દરને 50% થી ઘટાડીને 18% કર્યો નથી, પરંતુ રશિયાથી તેલની આયાતને કારણે દંડ તરીકે લાદવામાં આવેલા 25% ટેરિફને પાછો ખેંચવાનો પણ નિર્ણય લીધો છે.

આ નિર્ણયથી ભારતીય વેપારીઓને ₹40 હજાર કરોડની રાહત મળવાની અપેક્ષા છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર, 27 ઓગસ્ટ 2025 થી 6 ફેબ્રુઆરી 2026 ની વચ્ચે અમેરિકા દ્વારા કરવામાં આવેલી જે આયાત પર આ દંડ લાગ્યો હતો, તેનું રિફંડ આપવામાં આવશે.

આ રિફંડ અમેરિકાના કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન કાયદા હેઠળ જારી કરવામાં આવશે. ભારતીય નિકાસકારોને કેટલું રિફંડ મળશે, તે હજુ નક્કી નથી. કારણ કે રિફંડની રકમ અમેરિકી આયાતકારને આપવામાં આવશે, પછી તેઓ ભારતીય નિકાસકાર સાથે વાતચીત કરીને આ રકમની વહેંચણી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *