બેંક લોન ફ્રોડ કેસમાં અનિલ અંબાણીને EDનું સમન્સ

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ફરીથી સમન્સ પાઠવવામાં આવ્યા છે. PTI અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અનિલ અંબાણીને 14 નવેમ્બરે પૂછપરછ માટે હાજર રહેવા કહ્યું છે. ED મની લોન્ડરિંગ અને બેંક લોન છેતરપિંડીના કેસની તપાસ કરી રહી છે.

7500 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત અગાઉ, 3 નવેમ્બરના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નવી મુંબઈમાં ધીરુભાઈ અંબાણી નોલેજ સિટી (DAKC)માં સ્થિત અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની 132 એકર જમીન જપ્ત કરી હતી, જેની કિંમત ₹4,462.81 કરોડ હતી.

આ ઉપરાંત, જૂથની 40થી વધુ મિલકતો પણ જપ્ત કરવામાં આવી હતી. આ મિલકતોમાં અનિલ અંબાણીનું પાલી હિલ સ્થિત ઘર પણ શામેલ છે. જપ્ત કરાયેલી મિલકતોની કુલ કિંમત ₹3,084 કરોડ આંકવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે અનિલ ધીરુભાઈ અંબાણી જૂથની ₹7,500 કરોડની મિલકતો અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *