વિદેશમંત્રીનું 4 જ દિવસમાં કેનેડાને લઈને બીજું નિવેદન!

અમેરિકાના વોશિંગ્ટનમાં એક ચર્ચામાં ભાગ લેવા ગયેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે, અમે અમેરિકાને સ્પષ્ટ કરી દીધું છે કે, કેનેડા ઉગ્રવાદીઓને આશ્રય આપી રહ્યું છે. જયશંકરે એમ પણ કહ્યું કે, “અમેરિકનો માટે કેનેડા કદાચ ખૂબ અલગ દેશ હશે, પરંતુ તે નિર્ભર કરે છે કે જૂતામાં ડંખ ક્યાં વાગે છે. અમારા માટે, તે ચોક્કસપણે એક એવો દેશ રહ્યો છે જ્યાં ભારતનો સંગઠિત અપરાધ માનવ તસ્કરી સાથે જોડાયેલો છે.” તે અલગતાવાદ, હિંસા, સાથે જોડાયેલો છે. આતંકવાદ સાથે જોડાયેલો છે. તે ખૂબ જ ઝેરીલું સંયોજન છે. તેથી જ કેનેડા સાથે અમારા ઘણા તણાવ છે.”

વિદેશ મંત્રી જયશંકર દ્વારા કેનેડા અંગે 4 દિવસમાં આ બીજું નિવેદન છે. અગાઉ 26 સપ્ટેમ્બરે કેનેડાનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે – આતંકવાદ, ઉગ્રવાદ અને હિંસા પર રાજકીય સગવડતા અનુસાર કાર્યવાહી ન કરવી જોઈએ.

પ્રાદેશિક અખંડિતતા માટે આદર ન હોઈ શકે અને કોઈની અનુકૂળતા મુજબ આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ થઈ શકે નહીં. જ્યારે વાસ્તવિકતા નિવેદનબાજીથી ઘણી દૂર હોય ત્યારે તેની સામે અવાજ ઉઠાવવાની હિંમત હોવી જોઈએ.

ખરેખરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. જોકે, ભારતે કેનેડાના આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *