ભારત પર 25% પેનલ્ટી ટેરિફ હટાવી શકે છે અમેરિકા

દેશના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) વી. અનંત નાગેશ્વરનના જણાવ્યા અનુસાર, અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલ 25% પેનલ્ટી ટેરિફ નાબૂદ કરી શકાય છે, અને 25% રેસિપ્રોકલ ટેરિફ પણ ઘટાડી શકાય છે.

સીઈએ નાગેશ્વરને સંકેત આપ્યો હતો કે જે હાલમાં 25% ટેરિફ છે, તે 10-15%ની રેન્જમાં આવી શકે છે. તેમણે કહ્યું કે આગામી 8-10 અઠવાડિયામાં સમગ્ર ટેરિફ મુદ્દો ઉકેલાઈ શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો પાટા પર પાછા આવી રહ્યા છે.

મંગળવારે, ભારતના મુખ્ય વેપાર વાટાઘાટકાર અને વેપાર મંત્રાલયમાં વિશેષ સચિવ, રાજેશ અગ્રવાલે યુએસ વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિંચ સાથે મુલાકાત કરી. ટ્રમ્પ દ્વારા 50% ટેરિફ લાદવામાં આવ્યા પછી, આ પ્રથમ વેપાર કરાર માટે વાટાઘાટો કરવા માટે યુએસ પ્રતિનિધિમંડળ 16 સપ્ટેમ્બરના રોજ ભારત પહોંચ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *