ચોક્સીને ભારત લાવવાની પ્રક્રિયા 15 સપ્ટેમ્બરથી શરૂ થશે

ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના બેલ્જિયમથી ભારત પ્રત્યાર્પણની કાર્યવાહી 15 સપ્ટેમ્બરથી શરૂ થશે. સમાચાર એજન્સી PTI દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ચોક્સી પર પંજાબ નેશનલ બેંક સાથે ₹13,850 કરોડની છેતરપિંડીનો આરોપ છે.

આ કેસની સુનાવણી બેલ્જિયમની ફેડરલ કોર્ટમાં થશે. આમાં, CBI અને વિદેશ મંત્રાલય (MEA)ના વકીલો ભારત વતી પોતાનો પક્ષ રજૂ કરશે. 8 સપ્ટેમ્બરના રોજ, ભારતે બેલ્જિયમને લેખિત ગેરંટી આપી છે. કેન્દ્રએ બેલ્જિયમ સરકારને એક પત્રમાં જણાવ્યું હતું કે, ચોક્સીને મુંબઈની આર્થર રોડ જેલના બેરેક નંબર 12માં રાખવામાં આવશે. એક સેલમાં 6 લોકોની ક્ષમતા છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે જો ચોક્સીને બેલ્જિયમથી ભારત લાવવામાં આવશે, તો તેની સાથે માનવીય વર્તન કરવામાં આવશે. તેને 14થી વધુ સુવિધાઓની ખાતરી આપવામાં આવી છે. જેમાં 24 કલાક તબીબી સંભાળ, ચોખ્ખુ પાણી, સારો ખોરાક અને નિષ્ણાત ડૉક્ટરની સુવિધાઓનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *