ટામેટાં પછી ડુંગળીના ભાવ ઊંચકાયા

દેશમાં ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે કેન્દ્ર સરકારે 31 ડિસેમ્બર સુધી નિકાસ પર 40% ડ્યૂટી લગાવી છે. અત્યાર સુધી તેની નિકાસ પર કોઈ ટેક્સ લાગતો ન હતો. આ પગલાથી સરકાર દેશમાં ડુંગળીની ઉપલબ્ધતા જાળવી રાખવા માંગે છે અને તેનાથી ભાવ પણ નિયંત્રણમાં રહેશે. નાણા મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને આ અંગે માહિતી આપી હતી.

ઉપભોક્તા બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર, શનિવારે (19 ઓગસ્ટે) ડુંગળીની અખિલ ભારતીય સરેરાશ છૂટક કિંમત 30.72 રૂપિયા પ્રતિ કિલો હતી. મહત્તમ ભાવ રૂ. 63 પ્રતિ કિલો અને લઘુતમ ભાવ રૂ. 10 પ્રતિ કિલો હતો. એક વર્ષ પહેલાં સમાન સમયગાળામાં ડુંગળીનો સરેરાશ ભાવ પ્રતિ કિલો રૂ. 25 હતો. લઘુતમ ભાવ રૂ. 11 અને મહત્તમ ભાવ રૂ. 60 પ્રતિ કિલો હતો. જોકે ગુજરાતમાં 35થી 40 રૂપિયે કિલો ભાવ છે.

તે જ સમયે, આ મહિનાની શરૂઆતમાં એટલે કે 1 ઓગસ્ટના રોજ, ડુંગળીની મહત્તમ કિંમત 75 રૂપિયા પ્રતિ કિલો અને લઘુતમ કિંમત 10 રૂપિયા પ્રતિ કિલો હતી. ઓલ ઈન્ડિયા એવરેજ રિટેલ ભાવ રૂ. 27.27 હતો. દિલ્હીમાં તેની કિંમત 30 રૂપિયા પ્રતિ કિલો ચાલી રહી હતી, જ્યારે શનિવારે એટલે કે 19 ઓગસ્ટે દિલ્હીમાં ડુંગળી 37 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *