Apple ભારતમાં વધુ 4 ફ્લેગશિપ સ્ટોર ખોલશે

એપલ ભારતમાં આગામી મહિનાઓમાં વધુ ચાર ફ્લેગશિપ સ્ટોર ખોલશે. હાલમાં, Appleના મુંબઈ અને દિલ્હીમાં એક-એક સ્ટોર છે. કંપનીના સીઈઓ ટિમ કુકે ત્રિમાસિક પરિણામો દરમિયાન આની જાહેરાત કરી હતી. આઇફોનના વેચાણમાં વધારો થવાને કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે.

ટિમ કુકે કહ્યું- દરેક ક્ષેત્રમાં આઇફોનનું વેચાણ વધ્યું છે, જેણે વૈશ્વિક સ્તરે નવા રેકોર્ડ બનાવ્યા છે. ભારતમાં પણ રેકોર્ડ ઊંચી આવક નોંધાઈ છે.

કુકે કહ્યું કે એપલે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વૈશ્વિક સ્તરે $ 94.9 બિલિયનની આવક નોંધાવી છે, જે ગયા વર્ષની સરખામણીમાં 6% વધુ છે. એકલા iPhoneની આવક 6% વધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *