રાજકોટ મનપાએ જામનગર રોડ પર સાંઢિયા પુલ તોડીને ઓવરબ્રિજ બનાવવાનું કામ હાથ ધર્યું

રાજકોટ મનપાએ જામનગર રોડ પર સાંઢિયા પુલ તોડીને ઓવરબ્રિજ બનાવવાનું કામ હાથ ધર્યું છે. તે પહેલાં જૂના માળખાને તોડવા છેલ્લા 3 મહિનાથી રેલવેની મંજૂરીની રાહ જોવાતી હતી. આખરે રેલવેએ લીલીઝંડી આપતા રેલવે લાઈન ઉપરનો બ્રિજ તોડવાનું કામ શરૂ કરાશે.

મનપાએ સાંઢિયા પુલને તોડવાની કામગીરી શરૂ કરી છે પણ રેલવે લાઈન ઉપર જે પુલનો ભાગ છે તે તોડતા પહેલાં રેલ વ્યવહાર બંધ કરવો પડે જેની મંજૂરી અને ક્યા સમયે યાતાયાત બંધ રહેશે એટલે કે એન્જિનિયરિંગ બ્લોક અપાશે તે માટે મંજૂરી માગવામાં આવી હતી. રેલવેએ સાંજે 7થી 10 વાગ્યાનો સમય આપ્યો છે તેથી હવે તેનું કામ શરૂ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *