પાકિસ્તાનમાં શનિવારે (12 ઓક્ટોબર) બે આદિવાસી જૂથ વચ્ચેની અથડામણમાં 11 લોકોના મોત થયા હતા. મામલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કુર્રમ જિલ્લાનો છે. પાકિસ્તાની અખબાર ડૉન મુજબ, આ ઘટનામાં 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. જો કે, વિવાદનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
કુર્રમના ડેપ્યુટી કમિશનર જાવિદુલ્લા મહેસૂદે જણાવ્યું કે પાક-અફઘાન સરહદ નજીક કુંજ અલીઝાઈ પર્વતો પાસે ગોળીબારમાં બે લોકો ઘાયલ થયા છે, ત્યારબાદ વિસ્તારમાં તણાવ વધી ગયો છે. આ પછી વાહનોને રોકીને હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ સ્થિતિને સામાન્ય બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
પૂર્વ સાંસદ અને આદિજાતિ પરિષદના સભ્ય પીર હૈદર અલી શાહે કહ્યું કે સમાજના મોટા નેતાઓ મામલો શાંત કરવા માટે કુર્રમ પહોંચ્યા છે. બંને આદિવાસી જૂથ વચ્ચે સમાધાન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ફાયરિંગની ઘટનાઓ દુઃખદ છે. આની સમાજ પર ખરાબ અસર પડે છે.