રાજકોટમાં રેલવે કર્મીએ શેર બજારના ઓનલાઈન ડબ્બા ટ્રેનિંગમાં ભાગીદારીમાં બિઝનેસ કરતા લોકોના ત્રાસથી આજે સુસાઇડ નોટ લખી ફિનાઇલ પી જઈ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. 2 પોલીસ કર્મી સહિત 5 લોકો રૂ. 20 લાખની ઉઘરાણીને લઇ ત્રાસ આપતાં હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામા આવેલો છે.
રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ મથક અને અમદાવાદ રેલવે સુરક્ષા દળના કોન્સ્ટેબલ સહિતનાં દ્વારા છેલ્લા બે વર્ષથી અસહ્ય ત્રાસ આપવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જેથી આજે પોતાની ફરજ પૂર્ણ થયા બાદ રેલવે કર્મી મોરબી હાઇવે પર બાઈક લઈને પહોંચ્યા હતા અને ત્યાં ફિનાઇલ પી લીધું હતું. જેથી તેઓ રસ્તા પર પડ્યા હતાં. દરમિયાન રેલવે કર્મીને પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.