નેધરલેન્ડ્સમાં એક વર્ષમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા 70% ઘટી

યુરોપિયન દેશ નેધરલેન્ડ્સમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં એક વર્ષમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે. નેધરલેન્ડ્સ સરકારે 2022માં 14,816 ભારતીય પ્રવાસીઓને સ્કિલ્ડ વિઝા આપ્યા હતા, જેની સામે 2023માં માત્ર 4,520 ભારતીયોને જ વિઝા આપવામાં આવ્યા.

નેધરલેન્ડ્સમાં 15 વર્ષ દરમિયાન આવનારા ભારતીયોની સંખ્યા સતત વધી, પરંતુ એક વર્ષ દરમિયાન તેમાં ઘણો ઘટાડો નોંધાયો છે. જાણકારોનું કહેવું છે કે 2024માં પણ નેધરલેન્ડ્સની સરકાર તેમાં ઘટાડો કરવા જઈ રહી છે. જૂન સુધી માત્ર 1,800 ભારતીય પ્રવાસીઓને સ્કિલ્ડ વિઝા આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *