બાંધકામનું કામ કરતા શ્રમિકનું વીજકરંટથી મોત

મેડોડામાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતા હિંમતભાઇ ભીખાભાઇ અંબાણી (ઉ.વ.49) રવિવારે દેવગામ પાસેના માનસિક આશ્રમમાં બાંધકામ ચાલતું હોય ત્યાં કામ કરતા હતા ત્યારે વીજકરંટ લાગતા તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજતા મેટોડા પોલીસે તપાસ કરતા હિંમતભાઇ કામ કરતી વેળાએ લોખંડનો પાઇપ લઇને મુકતી વેળીએ વીજ તારને અડી જતા બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *